AINUL-HAYAT FOUNDATION || عین الحیات فاونڈیشن

انجمن ارائه دهنده ی برنامه های گوناگون تحقیقی و تبلیغی یپرامون مسائل مذهبی تشیّع و نظام امامت بویژه حضرت صاحب الزمان(عج)

AINUL-HAYAT FOUNDATION || عین الحیات فاونڈیشن

انجمن ارائه دهنده ی برنامه های گوناگون تحقیقی و تبلیغی یپرامون مسائل مذهبی تشیّع و نظام امامت بویژه حضرت صاحب الزمان(عج)

AINUL-HAYAT FOUNDATION || عین الحیات فاونڈیشن

عین الحیات فاونڈیشن، بر آن است که با توکل بر خدای عزّ وجلّ و با عنایات انوار قرآن و معصومین علیهم السلام، برنامه های گوناگون تحقیقی و تبلیغی یپرامون مسائل مذهبی تشیّع و نظام امامت بویژه حضرت صاحب الزمان(عج) را دنبال نماید و عموم مخاطبان را به سوی نورهدایت متوجه سازد تا زیبایی و شرینی معارف ثقلین را درک کنند.

Ainul-Hayat Foundation aims to monitor and deal with various religious research programs and Tablighi on various religious issues according to the Shia Imamiyyah Sect, especially in relation to Hadhrat Sahib al-Zaman (A.S) as well as guiding and guiding the audience towards the light of conversion so that they can fully benefit from the intellectual light that is found in Thaqalaini's blessed teachings.

عین الحیات فاونڈیشن کا مقصد اللہ تعالیٰ پر توکل اور قرآن اور معصومین علیہم السلام کی عنایات کے سایہ میں مختلف مذہبی تحقیقاتی اور تبلیغی پروگراموں اور دینی مسایل کو پیش کرنا اور شیعہ مکتب فکر؛ خصوصا نظام امامت اور حضرت مہدی صاحب الزمان (عج) کی جانب لوگوں کو متوجہ کرنا اور ان حضرات کی تعلیمات کی لذت کا احساس کروانا ہے۔


۱ مطلب در اسفند ۱۴۰۳ ثبت شده است

નહજુલ બલાગાના દ્રષ્ટિકોણથી દુઆ || دعا نہج البلاغہ کی روشنی میں

انجمن عین الحیات= گروه طلاب المصطفی العالمیه | يكشنبه, ۱۹ اسفند ۱۴۰۳، ۰۳:۱۷ ق.ظ

 

 

 

 

 

 

 

 

 

 

 

 

📚📚📚📚📚📚📚📚📚📚📚📚📚📚📚📚📚📚📚📚📚📚📚📚📚

📕કિતાબનું નામ: નહજુલ બલાગાના દ્રષ્ટિકોણથી દુઆ  (dowonload book)

🔸લેખક: જવાદ મોહદદેસી

🔷અનુવાદક: સૈયદ મેહદી રઝા રિઝવી 

🖨 પ્રકાશક: અયનુલ હયાત ફાઉન્ડેશન

 

પુસ્તકનો સંક્ષિપ્ત પરિચય

 

 

આજની દુનિયા ભીડ, ઘોંઘાટ અને ગ્લેમરની દુનિયા છે જેમાં માણસો અને માનવતા સામે સતત શેતાની યુક્તિઓ અને શેતાની ષડયંત્રો રમવામાં આવે છે, જેના કારણે આપણા જેવા લોકો વિવિધ માનસિક અને આધ્યાત્મિક રોગો અને મુશ્કેલીઓથી ઘેરાયેલા છે. મુશ્કેલીઓના એવા દર્દમાં ફસાયેલા છે કે જેમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી. આનું સૌથી મોટું કારણ એ છે કે જે દુન્યવી બાબતોને લીધે આપણે આ મુશ્કેલીઓમાં ફસાઈએ છીએ, તે મુશ્કેલીઓમાંથી બહાર આવવા માટે આપણે એ જ લોકો તરફ નજર કરીએ છીએ જેમણે આપણી આસપાસ આ મુશ્કેલીઓની જાળ વણી લીધી છે. પરિણામ એ આવે છે કે આપણે વધુ મુશ્કેલીઓમાં ફસાઈ જઈએ છીએ. જ્યારે જીવનની મુશ્કેલીઓમાંથી બહાર આવીને યોગ્ય જીવન જીવવા માટે અલ્લાહે આપણને જ્ઞાનનો ખજાનો પોતાની કિતાબ કુરાન અને નિર્દોષ (માસુમ) ઈમામોના રૂપમાં મોકલ્યો છે. ઈમામો અને અહલેબૈત (અ.સ.)નું જીવન અને તેમના દ્વારા બતાવેલ માર્ગ આપણા માટે ખાસ માર્ગ હતો અને તેમાંથી હઝરત અલી (અ.સ.)એ જે કંઈ પણ કહ્યું અથવા લખ્યું છે તેને સંકલિત કરીને લખાયેલ પુસ્તક નેહજુલ બલાગા સૌથી અલગ છે, જેનો ઉપયોગ દરેક યુગમાં આપણને સાચો માર્ગ બતાવવા માટે થાય છે. જે સૌથી રોશન ચિરાગ છે.

નેહજુલ બલાગા એક એવી કિતાબ છે જેમાં હઝરત અલીએ જીવનની દરેક સમસ્યા અને દરેક મુશ્કેલી વિશે વાત કરી છે અને તે મુશ્કેલીમાંથી બહાર નીકળવાનો માર્ગ પણ બતાવ્યો છે.

તમારા હાથમાં જે પુસ્તક છે તેમાં વિશ્વની મશહુર કિતાબ “નેહજુલ બલાગા” માંથી લખેલી બાબતોને આપણા યુવાનો માટે જે હઝરત અલી અ.સ ના શબ્દો વાંચવા અને સમજવા માંગે છે તેમની સમક્ષ ખૂબ જ સરળ ભાષામાં રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, જેથી આપણે અલ્લાહથી વધારે નજીક થઈ શકીએ, ઇન્શાઅલ્લાહ

આ કિતાબ જેનો ટાઇટલ છે “આવો નેહજુલ બલાગાથી શીખીએ” હુજ્જતુલ ઇસ્લામ જવાદ મોહદ્દીસી, એક પ્રખ્યાત ઈરાની આલીમ, જેમણે કેટલાક ટોપિકો ઉપર કિતાબો લખી છે, તેમાંથી એક “દુઆ” વિશે છે અને આ તેનો ગુજરાતી અનુવાદ તમારી સામે છે.

આ સીરીઝ (શ્રેણી)માં તૌબા, દુઆ, શેતાન, વકત, ઈમામ અલી (અ.સ)ની વસિય્યત, મિત્રતા (દોસ્તી), અલ્લાહની બંદગી, અને ઝબાન જેવી અન્ય કિતાબો ફારસીમાં મોજુદ છે તમે દુઆ વિશેનું આ ત્રીજો પુસ્તક તમારા હાથમાં જોઈ રહયા છો અને જો અલ્લાહ સર્વશક્તિમાન તેની પરવાનગી આપેશે, તો બીજા પુસ્તકો પણ ગુજરાતી ભાષામાં ટૂંક સમયમાં તમારી સમક્ષ રજૂ કરવામાં આવશે.

જ્યારે કોઈ પુસ્તક પ્રકાશિત થાય છે, ત્યારે તેમાં કેટલીક ખામીઓ અથવા ભૂલો હોય છે. આ પુસ્તક તમારા હાથમાં છે. આ વાંચ્યા પછી, કૃપા કરીને તમે જે ખામીઓ જુઓ છો તેના વિશે અમને જણાવો જેથી તે આગામી આવૃત્તિમાં દૂર કરી શકાય.

 

 

  • انجمن عین الحیات= گروه طلاب المصطفی العالمیه